કુમકુમ મંદિર ખાતે આમલકી એકાદશીની ઉજવણી કરવામાં આવી.

By: nationgujarat
20 Mar, 2024

તા. ર૦ માર્ચના ફાગણ સુદ એકાદશીના રોજ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે આમલકી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વચનામૃત અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવ્યું હતું. એકાદશી નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ આમલકી એકાદશી અંગે જણાવ્યું હતું કે, આ ફાગણ સુદ એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે. આ એકાદશીએ ભગવાનને આમળાં ધરાવવામાં આવે છે. એકાદશી કરવાની આજ્ઞા શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથમાં કરેલી છે. તેથી આપણે અવશ્ય એકાદશી કરવી જ જોઈએ.

એકાદશીએ ઉપવાસ કરવો જોઈએ, ઉપવાસ ના થાય તો ફલાહાર કરવું જોઈએ, પરંતુ એકાદશીના દિવસે અનાજ તો ખાવું જ ના જોઈએ. એકાદશી કરવાથી અનેક બ્રાહ્મણો અને સંતોને જમાડવાનું ફળ પ્રાપ્ત થાય છે.


Related Posts

Load more